જબલપુરની ગુમમુસ્લિમયુવતી ભુજમાંથી મળી દિવ્યાંગ માતાએ ભુજ આવી દીકરીનો કબ્જા લીધો

જબલપુરની ૩૦ વર્ષિય મુસ્લિમ યુવતી ફિરદોઝ અચાનક ભુજ આવી ચડી હતી. ભુજ રેલ્વે સ્ટેશન બહારથી સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરે તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે રાખી, ડો. મહેશભાઇ ટીલવાણી પાસેથી સારવાર કરાવાતં તે માત્ર ૪ દિવસમાં જ સ્વસ્થ બની હતી. સંસ્થાનાં સામાજિક કાર્યકર રિતુબેન વર્મા તથા ગુલાબ મોતાએ તેનું ઘર શોધી કાઢ્યું હતું. જબલપુર પોલીસ દ્વારા તેની દિવ્યાંગ માતાને જાણકારી અપાતાં જ તેની માતા ભુજ સુધી આવી પહોંચી હતી. અને દીકરીનો કબ્જા લીધો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ યુવતીનાં ૩ પુત્રો છે. પતિ સાથે ઝગડો થતાં તેણે ઘર છોડ્યું હતું. અને તે સતત રખડતી-ભટકતી રહી હતી. બે વર્ષ પછી તે ભુજ આવી પહોંચી હતી. સંસ્થાનાં પ્રયત્નોથી માતા-પુત્રીનું મિલન થયું હતું. માતાએ માનવજ્યોત સંસ્થાને આશિર્વાદ પાઠવ્યા હતા.

માનવજ્યોત સંસ્થાએ માતા દીકરીને રાજકોટથી જબલપુરની ટ્રેનમાં ઘર સુધી પહોંચાડ્યા હતા. માતા ઘરે પહોંચતા ત્રણે બાળકો ખુશ થયા હતા. માનવતાનાં આ કાર્યમાં માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, રીતુબેન વર્મા, ગુલાબ મોતા, પ્રતાપ ઠક્કર, વાલજી કોલી સહયોગી બન્યા હતા.