જલારામ બાપાનો મહાપ્રસાદ ઝુંપડે-ઝુંપડે પહોંચ્યો

જલારામ બાપાની ૨૨૪ મી જન્મજયંતિની સમગ્ર કચ્છમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ હતી. આ પ્રસંગે ઠેર-ઠેર મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજાયા હતા. વધી પડેલો મહાપ્રસાદ ભુજની માનવજ્યોત સંસ્થાએ એકઠો કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડતાં અઢી હજાર ગરીબોએ ખીચડી, કઢી, રોટલા,ગોળનું ભોજન ભરપેટ જમી અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા.

વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, અક્ષય મોતા, દીપેશ શાહ, રાજુ જોગી, રસીક જોગી, સલીમ લોટા, વેસુભા સોઢાએ સંભાળી હતી