જલારામ બાપાનો મહાપ્રસાદ ઝુંપડે- ઝુંપડે પહોંચ્યો

પરમ પૂજ્ય સંત શીરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૦ મી જન્મ જયંતિએ ભુજ અને ભુજ વિસ્તારમાં મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજાયા હતા. વિવિધ મંદિરો  અને સમાજવાડીઓમાંથી મહાપ્રસાદ વધી પડ્યાનાં ૧૨ ફોન માનવજ્યોત સંસ્થાને આવ્યા હતા. સંસ્થાએ વધી પડેલો મહાપ્રસાદ ગરીબો અને શ્રમજીવીકોનાં ઝુંપડે-ઝુંપડે પહોંચાડતા ત્રણ હજારથી વધુ જરૂરતમંદ લોકોએ પણ ખીચડી, કઢી, રોટલા, ગોળ સાથેનો મહાપ્રસાદ જમી ખુશી વ્યક્ત કરી હતી. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, ચમનલાલ જીવાણી, દિપેશ શાહ, નિરવ મોતા, અક્ષય મોતા તથા સર્વે કાર્યકરોએ સંભાળી હતી.