જ્યંતિભાઇ ભાનુશાલીને અંજલિ અપાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અબડાસાનાં પૂર્વ ધારાસભ્ય શ્રી જયંતિભાઇ પી. ભાનુશાલીની હત્યાનાં બનાવને વખોડી તેઓની માનવસેવા-જીવદયા-ધાર્મિક-શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓને બિરદાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સંસ્થનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, અરવિંદ ઠક્કર, શંભુભાઇ જાષી, રફીક બાવા, પ્રવિણભાઇ ભદ્રા, નરશીં પટેલે શ્રદ્ધાંજલિ આપી હતી.