વિકસતા માધાપર ગામનાં કેસરબાગ રોડનાં ઓધવ આલાપ સોસાયટી મધ્યે સ્વ.યશ મુકેશભાઈ જોષીની પુણ્ય સ્મૃતિમાં મીનાક્ષીબેન મુકેશભાઈ જોષી પરિવાર દ્વારા નિર્માણ પામેલ પક્ષીઓ માટેનાં ચબૂતરા તથા ગાયો માટેનાં પાણી પીવાનાં અવાડાનું ઉદ્ઘાટન દાતા પરિવાર દ્વારા માનવજ્યોતના પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. માનવજ્યોત સંસ્થા દ્વારા કાર્યને બિરદાવવામાં આવેલ. શાસ્ત્રોક્ત વિધિ વિનાયકભાઈ આચાર્યએ કરાવી હતી.
સ્વ.યશ જોષીના આત્મશ્રેયાર્થે પરિવારજનો દ્વારા જીવદયારૂપી કાર્યો કરાયા હતા. બાલિકાઓને ૧૧ વસ્તુઓ અર્પણ કરાતા બાલિકાઓએ ખુશી વ્યક્ત કરી હતી.આ પ્રસંગે માનવજ્યોતને રૂા. ૧૧૦૦૦નું અનુદાન આપવામાં આવેલ.