વધારેલી દાઢીને બાલ તથા મેલા-ગંદા કપડાએ માનસિક દિવ્યાંગની ઓળખ છે

રસ્તે રખડતા-ભટકતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા તેમજ લાગણી ગુમાવી બેઠેલા લોકોને પુનઃ નવજીવન મળે તે માટે માનવજ્યોત સંસ્થા આવા માનસિક દિવ્યાંગો માટે કાર્ય કરી રહી છે. જ્યારે એની હાલત જાઇએ ત્યારે આંખમાં આંસુ સુકાતા નથી. અને જ્યારે પરત મુળ અવસ્થા પામે ત્યારે આંખમાં હરખનાં આંસુ સમાતા નથી.

પથ્થર દિલને પિંગળાવી નાખે તેવી અજબ-ગજબની પરિસ્થિતિમાંથી પસાર થતા મસ્તરામો આખરે તો માનવી જ છે. કેમ ભૂલાય કે તેમના હૃદયમાં પણ પરમાત્મા બિરાજે છે. કોઇ મહિલા કોઇકની મા-દીકરી-બેન કે પરણિત હશે. તો કોઇ પુરૂષ પણ કોઇનો બાપ-દિકરો-ભાઇ કે પતિ હશે.

આજના વર્તમાન યુગમાં માનવીની ભાવનાઓ, માનવીનો માનવી પ્રત્યેનો પ્રેમ દિન પ્રતિદિન ઓછો થતો જાય છે. એ સત્ય છે. ઘરમાં કોઇ થોડાક જ અંશે માનસિકતા ગુમાવે, આર્થિક, માનસિક, શારિરીક તકલીફો જા થોડીક પણ છતી થાય તો લોકો તેને તરછોડે છે, અને તેને એકલા અટુલા મુકી દેતાં, તે લાચાર, નિઃશાય માનવી પુરૂષ હોય કે સ્ત્રી, ભાન ભૂલી આમ તેમ ભટક્યા કરે છે. લોકો તેને પાગલ-પાગલ કહી તેની હાલત વધારેને વધારે દયાજનક બનાવે છે. આમ માન હાનીનો ભોગ બનેલ માનવી દેહભાન ભૂલી કોઇ પણ જાતની યાદશક્તિ વગર પરાધીન બની ભટકે છે. નથી તેમને દેહનું ભાન હોતું કે નથી ખાવા-પીવાનું તે માર્ગોમાં પડ્યા પાથર્યા અને રસ્તે રઝળતા બની જાય છે.

મસ્તરામોને પોતાની મુળ જીંદગી પરત મેળવવા કરેલા પ્રયત્નો સફળ થાય ત્યારે માનવજ્યોત અને શ્રી રામદેવ સેવાશ્રમનાં કાર્યકરોનાં દિલ ખુશીના આંસુથી નાચી ઉઠે છે. વર્ષોનાં વાહણા વિત્યા બાદ મસ્તરામ પોતાના પરિવારને પામે, અને એજે મિલન થાય છે. તે ભલ ભલાને રડાવી મુકે છે.

પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ છેલ્લા ૧૫ વર્ષથી આવા મેલા-ગંદા પાગલો વચ્ચે રહી માનવતાનું કાર્ય થાય છે. આ મસ્તરામોને કોઇ ધર્મ કે નાત-જાત નથી. વધારેલી દાઢી ને બાલ તથા મેલા-ગંદા કપડા એની ઓળખ છે. પણ એ કઇ જાતનો કયા સમાજનો છે એ તાત્કાલિક જાણી શકાતું નથી માનવજ્યોત સંસ્થા નાત-જાતનાં ભેદભાવ વિના આવા માનસિક દિવ્યાંગોની સેવા કરે છે. આવા માનસિક દિવ્યાંગો માનવજ્યોત સંસ્થાને મળે ત્યારે તેની દીન દુઃખીયા જેવી હાલત અને છેલ્લે તૈયાર થઇ નવા વસ્ત્રો માં ઘરે જઇ રહેલા માનસિક દિવ્યાંગોને જાઇ લોકો પણ આનંદ પામે છે. ઉપરોક્ત ફોટામાં લાંબા બાલ-દાઢી અને ગંદા કપડામાં માનસિક દિવ્યાંગ છે. સ્નાન અને બાલ-દાઢી કટીંગ પછીનો આ એજ માનસિક દિવ્યાંગ છે.