બે દિવસમાં ૧૭૨૧ લોકોએ ઉકાળાનો લાભ લઇ રોગ પ્રતિકાર શક્તિ મેળવી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને નિયામકશ્રી આયુષ ગુજરાત દ્વારા પ્રેરિત, કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને કચ્છ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડો. કમલેશભાઇ જાષીનાં માર્ગદર્શન હેઠળ કોરોના તથા અન્ય વાયરસ સામે રોગ પ્રતિકાર શÂક્ત માટે અનેક ઔષધિઓમાંથી બનાવેલા તૈયાર ઉકાળા વિતરણનો બે દિવસમાં ૧૭૨૧ લોકોએ લાભ લીધો હતો. વ્યવસ્થા માનવજ્યોત સંસ્થા ભુજ સંભાળી રહેલ છે. અનેક ઔષધિઓથી ભરપૂર ઉકાળો પીવાથી લોકો રોગ પ્રતિકાર શક્તિ મેળવી માનસિક શાંતિ અનુભવી રહ્યા છે.

પ્રથમ દિવસે જનરલ હોસ્પીટલ પાસે ૫૦૦ લોકોએ જયારે બીજા દિવસે જયુબીલી ગ્રાઉન્ડ વિસ્તારમાં ૧૨૨૧ લોકોએ લાભ લીધો હતો. તા. ૧૩ નાં નવા એસ.ટી.બસ સ્ટેશન અને ત્યાર બાદ હરતા-ફરતા વાહન દ્વારા વિવિધ વિસ્તારોમાં પહોંચી જઇ લોકોને ઉકાળો પીવડાવાશે. ડો. કમલેશભાઇ જાષી, પવન કુમાર, આયુર્વેદ શાખા સ્ટાફ, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, કનૈયાલાલ અબોટી, શંભુભાઇ જાષી, પૃથ્વીરાજસિંહ જાડેજા, રફીક બાવા, ઇરફાન
લાખા, આરતી જાષી, વિક્રમ રાઠોડ સેવાઓ આપી રહ્યા છે.