કચ્છમાં રસ્તે રઝળતા, માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા એકલા-અટુલા-નિરાધાર માનસિક દિવ્યાંગોની વ્હારે ભુજની માનવજ્યોત સંસ્થા આવી છે.
કચ્છનાં ૧૦ તાલુકા મથકો અને ગામડા-શહેરોમાંથી આવા લોકોને માનવજ્યોત ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવી. બાલ કટીંગ, સ્નાન, નવા વ†ો, ભોજન, રહેવા, સુવાની વ્યવસ્થા સાથે મનોચિકિત્સક ડો. મહેશભાઇ ટીલવાણી પાસેથી સારી સારવાર અપાવી તેઓને સ્વસ્થ બનાવવામાં આવે છે. જેથી તેમની યાદ શક્તિ ફરી પાછી તાજી થાય છે. ત્યારે પોલીસ તંત્રની મદદ લઇ તેમનું ઘર અને પરિવાર શોધવાનાં પ્રયત્નો આદરવામાં આવે છે. આખરે સંસ્થાને તેમનું ઘર શોધવામાં સફળતા મળે છે અને આવા માનસિક દિવ્યાંગોનું પાંચ, દશ, પંદર, વીશ વર્ષ પછી પરિવારજનો સાથે ફેર મિલન થાય છે. પરિવારમાં અનેક ઘણી ખુશીઓ છવાય છે. અનેક કિસ્સાઓમાં પરિવારજનો બે-પાંચ વર્ષ સુધી ગુમસુદા માનસિક દિવ્યાંગની રાહ જાયા બાદ તેને મૃતક ઘોષિત કરી તેનું સારામણું કે છેલ્લી શા†ોક્ત વિધિઓ પણ કરી નાખતા હોય છે. તો અનેક કિસ્સાઓમાં ૧૫ થી ૨૦ વર્ષે મળેલ માનસિક દિવ્યાંગનાં ઘરે તેના ફોટા ઉપર હાર લટકતા પણ જાવા મળે છે.
માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ પાલારા પાસે શ્રી રામદેવ સેવાશ્રામ સ્થળેથી માત્ર બે વર્ષનાં ગાળામાં ૨૫૦ માનસિક દિવ્યાંગોને સ્વસ્થ બનાવવામાં આવ્યા. જુદા-જુદા રાજ્યોમાં રહેતા તેમનાં પરિવારજનો ભુજ સુધી આવી પહોંચી તેમને સહર્ષ સ્વીકારી તેમનો કબ્જા મેળવી અનેક ઘણી ખુશી વ્યક્ત કરી છે.
મિલ્કત વિવાદ, પ્રેમ પ્રકરણ,શેર-સટ્ટા, કૌટોબિક ઝઘડા, જમીન બાબતો તથા ભાષા ફર્ક, જેવા માનસિક દિવ્યાંગતા માટેનાં કારણો સામે આવ્યા હતા. તો પરપ્રાંતિ યુવાનોને નોકરીના બહાને કચ્છમાં લઇ આવી, નોકરી ન અપાવી રસ્તે રઝડતા કરી દેવામાં આવે છે. ત્યારે પણ તેઓ માનસિક સમતુલા ગુમાવી બેસે છે.
કચ્છમાંથી રસ્તે રઝળતા-રખડતા-ભટકતા માનસિક દિવ્યાંગોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. હવે માનસિક દિવ્યાંગો શોધ્યા જડતા નથી. માનવજ્યોતની ટીમ દર મહિને ૧૦ તાલુકા મથકોએ ફરી આવા રસ્તે રઝળતા માનસિક દિવ્યાંગોને આશ્રમ સ્થળે લઇ આવે છે. અગાઉ પાંચ-દશ કિલોમીટરનાં અંતરે એકાદ માનસિક દિવ્યાંગ મળી જતો હતો. હવે ૮૦ થી ૧૦૦ કિલોમીટર વાહનથી કાપીએ ત્યારે માંડ એકાદ માનસિક દિવ્યાંગ માર્ગ ઉપરથી મળે. ભુજમાં ૩૫ માનસિક દિવ્યાંગો હતા. હવે ત્રણ છે. માંડવી,નલીયા, નખત્રાણા, લખપતમાં એક પણ માનસિક દિવ્યાંગ નજરે ચડતો નથી.
છેલ્લા ૧૫ વર્ષમાં માનવજ્યોત સંસ્થાએ ૭૭૪ માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડી દીધા છે. નાગાલેન્ડ, તેલાંગણા, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓરિસા, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુ, આસામ, કેરલા, પશ્ચિમ બંગાળ તથા અન્ય રાજ્યોનાં પરિવારજનો પોતાનાં માનસિક દિવ્યાંગ સંતાનોને ભુજ આવી તેડી ગયા છે. આમ કચ્છમાં હવે રસ્તે રઝળતા માનસિક દિવ્યાંગોની સંખ્યામાં સતત ઘટાળો નોંધાયો છે. અને માનવજ્યોત સંસ્થાનાં કાર્યને સફળતા મળી છે. લોકો માનસિક દિવ્યાંગોનું આશ્રમ જાવા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે પહોંચી જઇ સ્વ હસ્તે માનસિક દિવ્યાંગોની સેવા કરી પુન્યનું ભાથું બાંધતા હોય છે.