આવી કપરી પરિસ્થતિમાં પણ બે બિનવારસ લાસોની અંતિમક્રિયા કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આવી કપરી પરિસ્થતિમાં છેલ્લા બે દિવસમાં બે બિનવારસ લાસોની અંતિમક્રિયા કરાઇ હતી. ઓરિસાનાં ૩૦ વર્ષિય યુવાનનું ગંભીર બિમારીનાં કારણે અવસાન થતાં અહીં તેનું કોઇ સગું-સાવકું નહોતા ‘બિ, ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા લાસ અંતિમક્રિયા કરવા માનવજ્યોતને જાણ કરાઇ હતી.

મધ્યપ્રદેશનાં ૧૮ વર્ષીય યુવાનનું ખાસરા ગ્રાઉન્ડ ઝુંપડપટી વિસ્તારમાં અવસાન થતાં તેનું અહીં કોઇ સ્નેહી ન હોવાથી ‘એ, ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા લાસ અંતિમક્રિયા કરવા માનવજ્યોતને સોંપાઇ હતી.

આ બંને યુવાનની અંતિમવિધિ માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, રસીક જાગી, તથા સામાજિક કાર્યકરો મહમદ લાખા,વિશ્રામ વાઘેલાએ કરી માનવતાનાં કાર્યમાં સહકાર આપ્યો હતો.