માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા એકલા-અટુલા-નિરાધાર તેમજ ઘર ભૂલેલા ૧૬૬૦ લોકોને ઘર સુધી પહોંચાડવામાં આવ્યા. પરિવારજનો સાથે તેમનું પાંચ-દશ- પંદર-વીશ-પચ્ચીસ વર્ષો પછી મિલન થયું. પરિવારજનોમાં અનેક ઘણી ખુશી છવાઈ.
ગુમ થયેલા માનસિક દિવ્યાંગો, વૃદ્ધ વડીલો, બાળકો, યુવતીઓ, પુરૂષો, મહિલાઓને ભુજની માનવજ્યોત સંસ્થાએ તેમને તેમનાં રાજ્ય, શહેર ગામ અને ઘર સુધી પહોંચાડ્યા. ભારત દેશનાં દરેક રાજ્યોની પોલીસે સંસ્થાને માનવતાનાં આ કાર્યમાં ખૂબ જ મદદ કરી. કચ્છનાં પણ દરેક પોલીસ સ્ટેશનો ઘર ભૂલેલી વ્યક્તિઓનાં ઘર શોધવામાં મદદ કરી.
માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, નરશીંભાઈ પટેલ, મુરજીભાઈ ઠક્કર સહભાગી બન્યા હતા.