માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજની વિવિધ હોસ્પીટલોમાં દાખલ દર્દીઓ તથા તેમની સાથે સારવાર કરાવા આવેલા સગા-સબંધી-સ્નેહીઓને દરરોજ બપોર- સાંજ બે ટાઇમ ભોજન પહોંચાડવામાં આવે છે.
જે તે હોસ્પીટલનાં ગેટ સુધી જઇ દર્દીઓનાં સગાઓને બોલાવી તેમની જરૂરિયાત મુજબ ભોજન આપવામાં આવે છે. જેથી દર્દીઓ તથા તેમના સગા- સબંધીઓ રાહતની લાગણી અનુભવે છે.
અત્યારે જુદી-જુદી હોસ્પીટલોમાં દર્દીઓ અને તેમની સાથેના ૪૦ સગા સબંધીઓને ભોજન પહોંચાડાય છે.આ માટે માનવજ્યોત ભુજ મો. ૯૭૩૭૨૩૯૫૪૦-૯૯૧૩૮૪૧૭૭૩ નો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.