અમદાવાદમાં ભુજનો યુવાન ડોકટર બન્યો કોરોના વોરિયર્સ

ગુજરાતનાં અમદાવાદમાં કોરોના પોઝીટીવના દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે ભુજનાં જૈન પરિવારનો યુવાન દીકરો અમદાવાદની એસ.વી.પી. હોસ્પીટલમાં રાત-દિવસ ખડેપગે પોતાની સેવાઓ આપી રહેલ છે.

ભુજનાં ભાવેશ્વરનગરમાં આવેલ ૨ મુક્ત નિલય, કેશવધામ એપાર્ટમેન્ટની સામે રહેતા ડો. નૈનેશ રમેશભાઇ શાહ લાંબા સમયથી અમદાવાદમાં પોતાની ફરજ બજાવી રહેલ છે. ડો. નૈનેશ થર્ડયર એમ.ડી. મેડીશિયનમાં રેસિડેન્ટ ડોકટર તરીકે ફરજ બજાવે છે.

ભુજનાં ભાવેશ્વરનગરમાં રહેતા રમેશભાઇ (રાજા) નો પુત્ર છે. એસવીપી અમદાવાદ હોસ્પીટલમાં શરૂઆતથી જ કોવીડ-૧૯ માં આઇસીયુ તેમજ ઓપીડીમાં ફરજ બજાવતો રહ્યો છે.

અમદાવાદ જેવા શહેરમાં અને કોરોના મહામારી વચ્ચે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી કચ્છનું નામ રોશન કર્યું છે. અને કોરોના વોરિયર્સ બન્યો છે.