કોરોના સંકટનાં કારણે ઉભી થયેલી પરિસ્થતિમાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા- કચ્છ દ્વારા શરૂ કરવામાં આવેલ ભૂખ્યાને ભોજન કરાવવાની પ્રવૃત્તિમાં ૮૦ દિવસમાં ૧,૨૭,૯૭૮ જરૂરતમંદોને તેમનાં ભૂંગા-ઝુંપડાઓ સુધી જઇ ભોજન કરાવવામાં આવ્યું છે.
દરરોજ ૭૯ વૃદ્ધ વડીલોને ઘેર બેઠા ટીફીન દ્વારા ભોજન પહોંચાડવામાં આવે છે. દર્દીઓની સારવાર અર્થે જુદી- જુદી હોસ્પીટલોમાં પહોંચેલા દર્દીઓનાં સગા- સ્નેહીઓને સવાર-સાંજ બે ટાઇમ ટીફીન દ્વારા ભોજન પહોંચાડાય છે.
ભુજ અને ભુજ વિસ્તારમાં જરૂરતમંદ પરિવારોને હાલનાં સંજાગોમાં પણ ભોજન તેમનાં ઝુંપડા-ભુંગાઓ સુધી પહોંચાડાય છે. મંદિર ટ્રસ્ટો, મહિલા મંડળો, યુવક મંડળો, સોસાયટીઓ, ગ્રુપો તથા જુદા-જુદા ગામવાસીઓ તૈયાર રસોઇ માનવજ્યોતને આપે છે. માનવજ્યોત આ રસોઇ જરૂરતમંદો સુધી પહોંચાડે છે.
નડાપા, ચપરેડી, ગામો તથા શ્રી કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર, ભાનુશાલી ફળિયા જેષ્ઠાનગરનાં ભાનુશાલી સમાજનાં બહેનો, આઇયાનગર જુનાવાસ માધાપરનાં રહેવાસીઓ પણ આ સેવાયજ્ઞમાં જાડાઇ સેવાકાર્યને આગળ ધપાવી રહ્યા છે.
૪ લોકડાઉન અને પાંચમાં અનલોકમાં માનવજ્યોત સંસ્થા જરૂરતમંદ લોકો સુધી પહોંચી જઇ ભૂખ્યાને ભોજન કરાવે છે. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, ગુલાબ મોતા, આનંદ રાયસોની, દીપેશ શાહ, નીરવ મોતા, રફીક બાવા, કનૈયાલાલ અબોટી , અક્ષય મોતા સંભાળી રહ્યા છે.