માનવસેવાની પ્રવૃત્તિઓ મુંબઇથી ભુજ પહોંચી અને ભુજમાં માનવજ્યોતની જ્યોત પ્રગટી

માનવજ્યોત પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈની પ્રેરણાથી અને જલારામબાપાની અસિમકૃપાથી ભુજમાં તા. ૨૫-૫-૨૦૦૩ નાં માનવજ્યોત સંસ્થાની સ્થાપના કરવામાં આવી. ભૂખ્યાને ભોજન વિતરણ, વૃદ્ધ વડિલોને ટીફીન દ્વારા ઘેર બેઠા ભોજન વિતરણ, જરૂરતમંદોને કપડા વિતરણ, બિનવારસ લાસોની અંતિમક્રિયા, ગુમથયેલા લોકોને શોધી આપવા, કુંડા-ચકલીઘર વિતરણ, મજુરી કામે ચાલ્યા જતા બાળકોને મજુરી કામમાંથી મુક્ત કરાવી અક્ષરજ્ઞાન આપવાનું કાર્ય, ભોજન સમારંભોની વધી પડેલી રસોઈ ગરીબોનાં ઝુંપડે પહોંચાડવાનું કાર્ય જેવા માનવસેવા, જીવદયા, પર્યાવરણ લક્ષી અને વ્યસન મુક્તિ અભિયાન સાથેનાં કાર્યો સાથે પ્રવૃત્તિઓનો પ્રારંભ કરાયો. 

દરેક સમાજોનાં કાર્યકરોને જોડી ટીમ બનાવવામાં આવી છે. એકતા-સંપ-સંગઠન અને ભાઇચારાની ભાવના સાથે સેવા કાર્ય આગળ ધપી રહ્યું છે. કોઈપણ જાતના ભેદભાવથી દૂર રહી સેવા કાર્ય કરવામાં આવે છે. 

સેવાકાર્યની હજુ શરૂઆત થઈ હતી ત્યાંજ વંદનીય આદરણિય શ્રી વાસુદેવભાઈ રામદાસ ઠક્કરે માનવજ્યોતને અઢી એકર જમીનનો દસ્તાવેજ બનાવી સંસ્થાનાં પ્રમુખ પ્રબોધ મુનવર તથા મંત્રી સુરેશભાઈ માહેશ્વરીને સોપતા કહ્યું કે, આ જમીન તમને ભવિષ્યમાં કામ લાગશે. આ એજ જમીન છે. જયાં આજે શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ નિર્માણ પામ્યું છે. તા. ૨-૭-૨૦૧૭નાં ભુજથી માત્ર સાત કિલોમીટરના અંતરે શ્રી વાસુદેવભાઈ રામદાસ ઠક્કરે આપેલી અઢી એકર ભૂમિ ઉપર માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ ખુલ્લુ મુકાયું. આ આશ્રમમના મુખ્ય દાતા તરીકે માતુશ્રી રૂક્ષ્મણીબેન રતનશીં સંગોઈ, શ્રીમતી મંજુલાબેન મહેન્દ્રભાઈ સંગોઈ, ટોળા-કચ્છ હાલે પાર્લાનો સહયોગ મળ્યો. અન્ય દાતાશ્રીઓએ પણ ઉમળકાભેર આશ્રમની વિવિધ યોજનાઓનો લાભ લીધો. આ વિશાળ આશ્રમમાં માનસિક દિવ્યાંગો માટે રહેવા-જમવા-સારવાર સહિતની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. 

સ્વ. વાસુદેવભાઈ આર. ઠક્કર, શ્રી મહેન્દ્રભાઈ સંગોઈ, તરલાબેન અને જયંતભાઈ છેડા, બીપીનભાઈ ગાલા, દામજીભાઈ એન્કરવાલા, પ્રવિણભાઇ છેડા, હસમુખભાઇ ગોગરી, એલ.ડી. શાહ, રમેશભાઈ આર. ઠક્કર, જેઠુભા ચાવડા (સુથરી) તથા વિવિધ દાતાશ્રીઓએ આશ્રમઉભું કરવામાં દાનની ગંગા વહેવડાવી. તો જૈન સમાજનાં આગેવાન શ્રી તારાચંદભાઈ છેડા, શ્રી સુંદરજીભાઈ શાહ તથા માનવજ્યોત મુંબઈના સમાજ સેવક શ્રી કુલીનભાઈ લુઠીયાનું માર્ગદર્શનખૂબ જ ઉપયોગી રહ્યું. 

આ આશ્રમના બાંધકામ માટે માનવ મિત્ર શ્રી વલ્લભજીભાઈ ડી. શાહે ફંડ એકત્રિત કરી આપ્યું. આમ સૌના સાથ અને સહકારથી ભુજ નજીક માનવતાનું ધામનિર્માણ પામ્યું. 

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા અત્યારે વિવિધ ૪૯ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. 

કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડયા પાથર્યા રહેતા એકલા-અટુલા-નિરાધાર માનસિક દિવ્યાંગોને આ સ્થળે લઈ આવી સારી સારવાર આપી, તેઓનું ઘર શોધી આપી, પરિવાર સાથે ફેર મિલન કરાવાય છે. સંસ્થાની ટીમમાં પચીસ સભ્યો છે. જે રાત-દિવસ જોયા વિના સતત સેવા કાર્યને આગળ ધપાવતા રહે છે. ભુજ અને સમગ્ર કચ્છમાં લોકો માનવજ્યોતની જુદી-જુદી સેવાઓથી ખુશ છે. સંસ્થાનું કાર્ય આખા કચ્છમાં પહોંચ્યું છે. 

રમેશભાઈ માહેશ્વરી,પૃથ્વીરાજસિંહ જાડેજા, અરવિંદભાઈ ઠક્કર, શંભુભાઈ જોષી, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, મુરજીભાઇ ઠક્કર, ભુપેન્દ્રભાઈ બાબરીયા, નરશીભાઈ પટેલ, કરશન ભાનુશાલી, જેરામસુતાર, દિપેશ ભાટિયા, નિતિન ઠક્કર, વનરાજસિંહ જાડેજા, દિપક જાની, પરેશ માહેશ્વરી તથા સર્વે કાર્યકરોની ટીમસેવાઓ આપી રહેલ છે.