પુણ્યતિથિએ માનવસેવા-જીવદયાનાં કાર્યો કરાયા

અક્ષરનિવાસી રાજેશ ઘનશ્યામભાઇટપરીયાની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે ઘનશ્યામભાઇ માવજી ટપરીયા પરિવાર દ્વારા માનવસેવા જીવદયાનાં કાર્યો સાથે સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ.

શ્રીજીબાપા-સ્વામિબાપાનાં આશિર્વાદથી ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી સમસ્ત ટપરીયા-વાઘજીયાણી પરિવાર કેરા તથા વાપ્કો કન્સ્ટ્રકશન પરિવાર-મોમ્બાસા દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છને રૂા. ૬૦ હજારનું અન્નદાન, માનસિક દિવ્યાંગોને ભોજન,વૃદ્ધોને ટીફીન દ્વારા ભોજન, આશ્રમનાં માનસિક દિવ્યાંગોને નવા વસ્ત્રો, ૫૦૦ કુંડા, ૫૦૦ ચકલીઘરનું વિતરણ જેવી અનેકવિધ માનવસેવા, જીવદયાની પ્રવૃત્તિઓ સાથે સ્વ. રાજેશ ટપરીયાને પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ ભાવાંજલિ અર્પણ કરવામાં આવેલ.

માનવજ્યોતના પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહ તથા કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી.