નવરાત્રી પર્વે માનસિક દિવ્યાંગો રાસ-ગરબા રમી નાચી-ઝુમી ઉઠયા હિન્દુ-મુસ્લિમ મહિલાઓએ રાસ-ગરબાની રમઝટ જમાવી

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત, પાલારા-કચ્છ મધ્યે આવેલ શ્રી રામદેવ સેવાશ્રમનાં ૩૮ માનસિક દિવ્યાંગો નવરાત્રી પર્વે મા જગદંબાની સમૂહમાં આરતી ઉતારી રાસ-ગરબા લઇ નાચી-ઝુમી ઉઠઆ હતા. નવા વસ્ત્રોમાં સજ્જ થઇ માતાજીની ભાવપૂર્વક ભક્તિ કરી હતી. આશ્રમનાં વિશાળ પ્રાંગણમાં સતત બે કલાક સુધી રાસ રમ્યા હતા. જે જાવા લોકો પણ થંભી ગયા હતા. પ્રારંભે સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરે પ્રાસંગિક મહત્વ સમજાવ્યું હતું.

ભુજ શહેરનાં કેમ્પ વિસ્તારનાં ડાયમંડ મહિલા મંડળનાં ખોજા મુસ્લિમ મહિલા તથા વર્ધમાનનગરનાં મહાકાળી મંડળના જૈન બહેનોએ સાથે મળી મા આશાપુરાની આરતી ઉતારી સાથે રાસ-ગરબા રમી નવરાત્રી પર્વે કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડયું હતું. સંસ્થા દ્વારા આ પ્રસંગે યશેસભાઇ અંતાણીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ.

મુમતાબેન ખોજા, બિલકેશનબેન લાલજીયાણી, નાદીયા મુરાણી, રોઝમીન નાથાણી, રોનુરબેન પિરાણી, મુમતાઝ સોમાણી, સહીદાબેન દામાણી, તેમજ જયાબેન મુનવર, ગીતાબેન ઝવેરી, દિપ્તી મોતા, ડીમ્પલ ધરમશી, દક્ષા છેડા, અમીતા જૈન, દિશા મુનવર તથા મહિલાઓએ રાસ-ગરબાની રમઝટ જમાવી હતી.

રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જાષી, જેરામ સુતાર, મુળજીભાઇ ઠક્કર, ભુપેન્દ્રભાઇ બાબરીયા, મહેશભાઇ ઠક્કર, વિનોદ મારાજ, વાલજીભાઇ કોલી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન ગુલાબ મોતાએ કરેલ.