હર ઘર તિરંગા… ઘર ઘર તિરંગા માનસિક દિવ્યાંગો તિરંગા યાત્રામાં જોડાયા

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગો હાથમાં રાષ્ટ્રધ્વજ લઇ પ્રભાતફેરી સ્વરુપે તિરંગા યાત્રામાં જોડાઇ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર દિવસની આઝાદી પર્વની ઉજવણી કરી હતી.

સંસ્થાનાં પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્ર્વરી, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલા અબોટી, મુરજીભાઇ ઠક્કર, ભુપેન્દ્રભાઇ બાબરીયા, ભરતભાઇ સોની, રીતુબેન વર્મા સહિત સંસ્થાનાં કાર્યકરો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. માનસિક દિવ્યાંગો કેશરી રંગના વસ્ત્રોમાં સજજ થઇ હાથમાં તિરંગો લઇ સ્વાતંત્ર દિન ઉજવ્યો હતો.

એસ.બી.આઇ. બેંક પેન્શનર એસોસિએશનનાં મહેન્દ્રભાઇ સેજપાલ, પ્રકાશ શાહ, મુકેશ ઠક્કર, ભગવતી ગોર, ભુપેન્દ્ર ત્રિપાઠી, રાજુભાઇ ભીંડે સહિતનાં પ્રયાસ પરિવારે આ પ્રસંગે ઉપસ્થિત રહી માનવજ્યોતની માનવસેવાની પ્રવૃત્તિઓ બિરદાવી હતી.

મુસ્લિમ અગ્રણી ઇબ્રાહીમભાઇ હાલેપોત્રા, મુસ્તાક હાલા, ઝહીર સમેજા, અમીન સમા, માલશીં માતંગ, શંભુભાઇ જોષીએ આશ્રમ સ્થળે આઝાદી પર્વની ઉજવીમાં જોડાઇ માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાની સરાહના કરી હતી.

સમગ્ર વ્યવસ્થા પંકજ કુરુવા, દિલીપ લોડાયાએ સંભાળી હતી.