સ્વ. પ્રમોદરાય એમ. મહેતાનાં આત્મશ્રેયાર્થે રમીલાબેન પી. મહેતા પરિવાર ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને માનસિક દિવ્યાંગોને ભોજનની કાયમી તિથિ માટે રૂા. ૧૧ હજારનું અનુદાન આપવામાં આવેલ. સેવાભાવી, હોમિયોપેથી ઉપચારક ડોકટર પ્રમોદભાઇની નિઃસ્વાર્થ સેવા બદલ એમની સ્મૃતિમાં માનવજ્યોતને ચેક અર્પણ કરવામાં આવેલ. તેમજ વસ્ત્રોનું દાન કરવામાં આવેલ. સંસ્થા વતી પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીએ આભાર માન્યો હતો.