રાજ્યપાલશ્રીનાં વરદ્‌ હસ્તે “ગ્લોરી ઓફ ગુજરાત” એવોર્ડ અર્પણ કરાશે

ઇન્ડીયન કાઉન્સીલ ઓફ સોશ્યલ વેલ્ફર અમદાવાદ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવરને તા. ૧૫-૨ સાંજે ૫-૩૦ કલાકે રાજભવન ગાંધીનગર મધ્યે રાજ્યપાલશ્રી ઓ.પી. કોહલીજીનાં વરદ્‌ હસ્તે “ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ-૨૦૧૮,, અર્પણ કરવામાં આવશે. આ એવોર્ડ માટે કચ્છ જિલ્લામાંથી તેમની માનવસેવા-જીવદયા, પર્યાવરણની પ્રવૃત્તિઓ અને ગુમ થયેલા લોકોને શોધી આપવાની સર્વ શ્રેષ્ઠ કામગીરીને લક્ષમાં રાખીને કરવામાં આવી છે.