યુવાન માતા, બાળકી સાથે મળી આવતાં આશ્રય સ્થાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજને ગાંધીધામ થી કોઇક અજાણી વ્યÂક્તનો ફોન આવેલો કે, ગાંધીધામનાં બાયપાસ એક રોડના પુલીયા ઉપર એક યુવાન મહિલા તેની બાળકી સાથે છેલ્લા સાત દિવસથી બેઠેલી છે. વાસનાં ભૂખ્યાઓનો ભોગ બની રહી છે.

ગાંધીધામથી ત્યાર બાદ એજ અજાણી વ્યÂક્તએ કહેલ કે, નાની બાળકીને એક બહેન દત્તક લેવા માગે છે અને મહિલાને તમારી પાસે ભુજ મોકલીએ છીએ. ત્યારે માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે તેમને સલાહ આપી કે તમો કોઇપણ સંજાગોમાં કોઇને પણ દત્તક આપી શકતા નથી. તમારી સામે કાયદેસરની કાર્યવાહી થશે. અટકી પડશો.

ત્યાર બાદ બીજા જ દિવસે કોઇક અજાણી વ્યÂક્તઓએ ગાંધીધામથી માતા ઉ.વ. ૨૮ અને બાળકી ઉ.વ. ૨ ને અજાણ્યા વાહન દ્વારા વહેલી સવારે માધાપરમાં ઉતારીને ચાલ્યા ગયા. માતા રડી રહી હતી. ત્યારે બાળકી માતાનાં આંસુ લુછી રહી હતી. માતા ઇચ્છતી હતી કે, હવે ભગવાન મદદ કરે… માધાપર નવાવાસ ગ્રામ પંચાયત પાસે માતા-દિકરીને એકલી અટુલી જાઇ કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરીયા તથા હંસાબેન હરસીયાણીએ માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને જાણ કરતાં તેઓની ટીમ માધાપર પહોંચી જઇ માતા- દિકરીને માનવજ્યોત કાર્યાલયે લઇ આવી તેમને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું. મળી આવેલી મહિલા કાંઇ પણ બોલતી ન હતી. બે વર્ષની બાળકી પણ પરેશાન હતી. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રનાં ભÂક્તબેન ભટ્ટનો સંપર્ક કરી માતા-દિકરીને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર સ્થળે આશ્રય અપાવ્યો હતો. માનવતાનાં આ કાર્યમાં ગુલાબ મોતા અને માનવજ્યોતની ટીમે સહકાર આપ્યો હતો.