પાલારા જેલ ગૌશાળાને “ગૌસેવા ભક્તિ પ્રસાદ,, અપાયો

ભુજ શહેરની આર.ટી.ઓ. સાઇટ પર આવેલા જલારામ અમૃતજળ પરબને ૩ વર્ષ પૂરું થતાં ‘‘એકલો જાનેરે’ સંસ્થાના સ્થાપક સંચાલક અને પરબના દાતા રાજ્ય-રાષ્ટ્ર સેવા એવોર્ડ વિજેતા શ્રી મગનભાઇ જી. ઠક્કરના સહયોગથી તેમના ધર્મપત્ની સ્વ. ભાનુબેન ઠક્કરનાં સ્મર્ણાર્થે પાલારા જેલ ગૌશાળાને “ગૌસેવા ભક્તિ પ્રસાદ’’ આપવામાં આવેલ. સ્વ. ભાનુબેન એમ. ઠક્કર ખૂબજ ભક્તિમય જીવન જીવ્યા. સત્સંગી જીવનમાં ગૌસેવા પક્ષીઓની સેવા, શ્વાનોની સેવા મુખ્ય હતી.

આ પ્રસંગે પાલારા ખાસ જેલ અધિક્ષક શ્રી આર.એ.રાવ, જેલર શ્રી જે.એન.અગ્રાવત તથા માનવજ્યોતનાં પ્રબોધ મુનવરની ઉપસ્થિતિમાં ગાયો માટે ૩ ગુણી ખોળ તથા ૩ ગુણી ભૂસાનું દાન અપાયું હતું.

પ્રારંભે ગૌ વંદના બાદ પ્રસંગ પરિચય એકલો જાનેરે સંસ્થાના શ્રી મગનભાઇ જી. ઠક્કરે આપ્યો હતો. સ્વ. ભાનુબેનના સ્મર્ણાર્થે પાણીની પરબ, અવાડા, ચૂબતરાનાં આયોજનની માહિતી આપવામાં આવેલ.

૮૦ વર્ષની ઉંમરે જલારામઅમૃતજળ પરબનું જાતે સ્વખર્ચે પોતાનાં પેન્સનમાંથી નિભાવ કરી ખડેપગે સેવાઓ આપનાર મગનભાઇ જી. ઠક્કરની સેવાઓને બિરદાવવામાં આવેલ.