માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અઠવાડીયે બે વખત વિવિધ વિસ્તારોમાં જઇ જરુરતમંદ લોકોને વસ્ત્રો વિતરણ કરવામાં આવે છે.
ભુજ અને અન્ય વિસ્તારોનાં લોકો વધારાનાં કપડા માનવજ્યોત કાર્યાલય સુધી પહોંચાડે છે જેને વ્યવસ્થિત કરી કોથરામાં ભરી ગરીબોનાં ભૂંગા,ઝુંપડા, કાચા મકાનો સુધી વાહન દ્વારા પહોંચતા કરવામાં આવતાં જરુરતમંદ લોકો કપડા પહેરી ખુશી વ્યક્ત કરે છે. ભુજ અને ભુજ વિસ્તારનાં લોકો પુષ્કળ પ્રમાણમાં કપડા માનવજ્યોતને આપે છે. સંસ્થા આ કપડા જરુરતમંદો
સુધી પહોંચાડે છે.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, રફીક બાવા, માલશીં નામોરી, અનિતાબેન ઠાકુર, માલાબેન જોષી, સરલાબેન ગોસ્વામી સંભાળી રહ્યા છે.