બહુમાળી ભવન મધ્યે માસ્ક અને હોમીયોપેથીક ગોળીઓનું કરાયું નિઃશુલ્ક વિતરણ

બહુમાળી ભવન કર્મચારી કલ્યાણ ગ્રાહક સહકારી ભંડાર લી. ભુજ કચ્છ, જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા અને માનવજ્યોત સંસ્થા ભુજનાં સંયુક્ત ઉપક્રમે બહુમાળી ભવનનાં કર્મચારીઓને માસ્ક તથા હોમિયોપેથીક ગોળીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. 

આ પ્રસંગે જીલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી કમલેશભાઈ જોષી, હોમિયોપેથીક ડો. પ્રતિક્ષાબેન પવાર, બહુમાળી ભવન કર્મચારી કલ્યાણ ગ્રાહક સહકારી ભંડાર લી. ભુજના પ્રમુખ શ્રી અનીરૂદ્ધસિંહ ગોહિલ, મયુરભાઈ જાદવ, રાજેશભાઈ દવે, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, શંભુભાઈ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી ઉપસ્થિત રહ્યા હતા. 

બહુમાળી ભવનમાં આવતા-જતા કર્મચારીઓ તથા લોકોને માસ્ક તથા હોમિયોપેથીક ગોળીઓનું વિતરણ કરાયું હતું. શિલ્પાબેન ગોરે કર્મચારી ગણ માટે થઈ રહેલ કાર્યને બિરદાવ્યું હતું. તથા કર્મચારી એકતા અને પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. 

વ્યવસ્થામાં હાર્દિક દવે, અતુલ મહેતા, ઝાકિર હુસેન મોગલ, સાવિત્રીબેન સોલંકી, ખાનુભા સોઢા, મહમદ હુસેન બાયડ તથા ઇલાબેન વૈષ્ણવ, આરતીબેન જોષીએ સહકાર આપ્યો હતો.