ગુજરાતનાં પંચમહાલ જીલ્લાનાં ગોધરા નજીકનાં ગોઠડા ગામનો ૩૦ વર્ષિય યુવાન નરેશ ભીમાભાઇ બારીયા અઢી વર્ષ પહેલાં ગુમ થયો હતો. રઝળતો-ભટકો તે અનેક રાજ્યો અને શહેરોમાંથી થઇ દશ દિવસ પહેલાં ભુજ પહોંચ્યો હતો. સિનિયર પેરાલીગલ વોલીન્ટીર પ્રબોધ મુનવર તથા માનવજ્યોતનાં રફીક બાવાને તે ભુજ-ખાવડા માર્ગ ઉપરથી મળ્યો હતો. તેની પાસેથી માહિતી મેળવી તેનું ઘર અને પરિવાર શોધવામાં સંસ્થાને સફળતા મળી હતી.
સંસ્થાનાં કાર્યકરો તેને ઘર સુધી મુકવા ગોઠડા ગામે પહોંચતા તેના પરિવારજનોએ નરેશ ઘરે પહોંચતા જ તેને હરખભેર વધાવી માનવજ્યોત અને શ્રી રામદેવ સેવાશ્રમ પરિવારનો આભાર માન્યો હતો. આમ અનેક તડકા-છાંયડા જાયા બાદ આ યુવાન અઢી વર્ષ પછી ઘર સુધી પહોંચતા પરિવારજનોની ખુશી બેવડાઇ હતી. અને દશેરા પર્વની પત્ની તથા બાળકો સાથે ઉજવણી કરી હતી.
માનવતાનાં આ કાર્યમાં ગુલાબ મોતા, મહેશ ઠક્કર, આનંદ રાયસોની, દિપેશ શાહ, દિપેશ ભાટિયા તથા હારૂન બકાલી સહયોગી બન્યા હતા.