જન્મદિને માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું

શ્રી ક.વી.ઓ. જૈન મહાજનશ્રી ભુજ અને સર્વ સેવા સંઘ ભુજનાં અધ્યક્ષ અને સામાજિક કાર્યકર શ્રી જીગરભાઈ તારાચંદભાઇ છેડાનાં જન્મદિવસ નિમિત્તે માતુશ્રી લક્ષ્મીબાઇ જગશી છેડા પરિવાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથે ભોજન કરાયું હતું.

સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાએ જીગરભાઇ છેડાને જન્મદિની શુભેચ્છાઓ પાઠવી હતી.