માનવજ્યોતને અન્નદાન અપાયું

આગાખાન પ્રિસ્કૂલ, કેરા દ્વારા દાનોત્સવ’નું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ અંતર્ગત બાળકો, વાલીઓ અને કર્મચારીઓ તેમજ આગાખાન પ્રિસ્કૂલની લોકલ મેનેજમેન્ટ કમિટી દ્વારા અનાજ, કઠોળ, ખાંડ, તેલ, નોટબુક અને અન્ય સ્ટેશનરી વિગેરે ઘરેથી લાવી પ્રિસ્કૂલમાં એકઠું કર્યું હતું. સપ્તાહના અંતે આગાખાન પ્રિસ્કૂલ, કેરાની લોકલ મેનેજમેન્ટ
કમિટીના ચેરમેન શ્રી મોહસીનભાઈ મોરાણી અને ઓન. સેક્રેટરી શ્રી સીમાબેન મોરાણી, મુખીસાહેબ રમજાનભાઈ પીરાણી, કામડિયાસાહેબ ઇરફાનભાઈ ચતુઆણી, કમિટી મેમ્બર અઝીઝભાઈ મોરાણી, મુસ્તફાભાઈ મોરાણી, હનીફભાઈ મકલાઈ, અશરફબેન મોરાણી, અરમીનાબેન પીરાણી, મથુરભાઈ પવાણી, કમરભાઈ ખોજા, હેડ ટીચર સેલવીબેન ખોજા, આસિસ્ટન્ટ ટીયર સાનિયાબેન ખોજા, હેલ્પર વનિતાબેન ખણ-ઘરની આગેવાની હેઠળ કમિટીના સભ્યો અને કર્મચારીઓએ આ તમામ સામગ્રી માનવજ્યોત ભુજના કેરા કાર્યાલયને સુપ્રત કરેલ. આ તકે સંસ્થાના વ્યવસ્થાપક શ્રી પ્રબોધ મુનવર તથા સહદેવસિંહ જાડેજાએ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નાના બાળકોમાં આ ઉમરથી જ ઉત્તમ ટેવોનું સિંચન કરવાનાં આગાખાન પ્રિસ્કૂલનાં પ્રયાસો ખૂબ જ ઉમદા છે જે બાળકોને આદર્શ નાગરિક બનાવવા માટે મદદરૂપ થશે.