અબડાસા તાલુકાનાં કોઠારા ગામે વરસાદી પાણીથી અસરગ્રસ્ત 500 લોકોને ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ફરસીપૂરી, બુંદી, ગાંઠીયાનાં પેકેટો અર્પણ કરાયા હતા. ભુંગા-ઝુંપડાઓમાં રહેતા તેમજ મુખ્ય માર્ગો ઉપર ખુલ્લામાં પડ્યા-પાથર્યા લોકોને ફુડ પેકેટો પહોંચાડાયા હતા. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, દામજી ચૌહાણ, કાન્તી પોમલ, ચેતન રાવલ, પ્રવિણસિંહ સોઢા, ત્રીકમભાઇ પરગડુ, પાંચાભાઇ વેલજી, નીલેશ ગોસ્વામી, હિતેશ ગોસ્વામી, અમૃતભાઇ ડાભીએ સંભાળી હતી.