ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજીત શ્રી નરનારાયણ દેવ ૨૦૦ વર્ષના દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે શ્રી ભુજ સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના મહંત પ.પૂ. સદ્ગુરૂ સ્વામિ ધર્મનંદનદાસજીનાં માર્ગદર્શન હેઠળ ભુજની માનવજ્યોત સંસ્થાને પાંચ વ્હીલચેરો અર્પણ કરાઇ હતી. માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોનીએ વ્હીલચેરો સ્વીકારી ભુજ સ્વામિનારાયણ મંદિરનો આભાર માન્યો હતો.