માનવજ્યોત દ્વારા સૂકા નાસ્તાનાં પાંચ હજાર પેકેટો તૈયાર કરાયા

“બિપોરજોય,, વાવા ઝોડાને ધ્યાને લઇ ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા સેવ,ગાંઠીયા, ચેવડા, ચવાણાનાં પાંચ હજાર પેકેટો બનાવીને તૈયાર રાખવામાં આવ્યા છે. જીલ્લા વહીવટી તંત્રની સૂચના અનુસાર જ્યાં તંત્ર કહેશે ત્યાં પહોંચાડવામાં આવશે. સંસ્થા લોકોને મુશ્કેલીમાં મદદરૂપ બનશે. ૫ કિલો ઘંઉ લોટ તથા ૫ કિલો ચોખાની રાશન કીટો પણ તૈયાર રાખવામાં આવી છે.
સંસ્થાનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, રફીક બાવા, દિપેશ ભાટિયા, અક્ષર મોતા, જયેશ લોડાયા, રાજેશ જોગી, ઇરફાન લાખા, રસીક જોગી, હિતેશ ગોસ્વામી, આરતીબેન જોષી, તથા સર્વે કાર્યકરો સતત પાંચ દિવસ સુધી સૂકા નાસ્તાનાં પેકેટો બનાવવાનું કાર્ય ચાલુ રાખશે.