માંડવી શહેરમાં દરિયા કિનારે તથા જુદા-જુદા વિસ્તારોમાંથી રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા-પાથર્યા રહેતા પાંચ માનસિક દિવ્યંગો ઠંડીમાં ઠુંઠવાઇ ન જાય, અને તેઓને ઠંડી સામે રક્ષણ મળે તેવા ઉદેશ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેઓને સંસ્થાનાં વાહન દ્વારા ભુજ લઇ આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-મધ્યે તેઓને આશ્રય આપી તેઓની સુંદર સારવાર સાથે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરાવવામાં આવી હતી. તેમજ ઠંડી સામે રક્ષણ અપાયું હતું.
તેઓ સ્વસ્થ બનશે એટલે તેઓનું ઘર શોધી તેઓનું ગામ શોધી તેઓને ઘર સુધી પહોંચતા કરવામાં આવશે. માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, રાજુ જાગી, હારૂન બકાલી સહભાગી બન્યા હતા.