કોઠારા પાંજરાપોળનાં પશુધનને બચાવવા પાંચ લાખ એકઠા કરાયા

શ્રી કોઠારા જૈન મિત્ર મંડળ મુંબઇ દ્વારા ૩૯ મું સામૂહિક ક્ષમાપના, સ્નેહમિલન,સ્વામિવાત્સલ્ય, તપસ્વીઓનું બહુમાન, શૈક્ષણિક સન્માન કાર્યક્રમ જૈનમ્‌ બેંકવેટ હોલ ભાડુંપ મધ્યે યોજાયો હતો. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન પ્રવિણભાઇ શામજી ધરમશીંએ જયારે અતિથિવિશેષ પદ તરૂણભાઇ રતનશીં લોડાયા, હીરાચંદભાઇ દામજી દંડ, તેમજ નલીનભાઇ અજાણી, હેમંતભાઇ અજાણી, મયંક રૂપેન ધુલ્લા, અનીતા ધરમશીં, દીનેશ અજાણી તથા અનીલ મોતાએ શોભાવ્યું હતું.

પ્રારંભે પૂ. સા. શ્રી તારકગુણાશ્રીજી મ.સા.એ માંગલિક શ્રવણ કરાવતા મૈત્રી અને સંગઠનનો સંદેશો આપ્યો હતો. લક્ષ્મીબેન વિકમશીએ સ્વાગત ગીત રજુ કરેલ. શાંતિનાથ પ્રભુજીની છબીને હારારોપણ કરવામાં આવેલ. મંચસ્થ મહાનુભાવોનાં વરદ્‌ હસ્તે દિપપ્રાગટ્ય કરવામાં આવેલ. તપસ્વીઓના તપની અનુમોદના કરી તેમનું બહુમાન કરવામાં આવેલ. ટ્રસ્ટી સ્વ. શ્રી દેવજીભાઇ પાલાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. શ્રી કોઠારા જૈન મિત્ર મંડળનાં પ્રમુખ શ્રી હેમંતભાઇ અજાણીએ સ્વાગત પ્રવચન કરી સૌને મીઠડો આવકાર આપી મંડળની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. તેમજ આ સ્નેહમિલનને પ્રેમ, લાગણી, સદ્‌ભાવનાનો મેળો ગણાવ્યો હતો. કોઠારા મહાજનશ્રીનાં પ્રમુખ શ્રી નલીનભાઇ અજાણીએ મહાજન શ્રી સંચાલિત સંસ્થાઓની માહિતી આપી હતી. અને કચ્છમાં દુષ્કાળની સ્થિતિ હોઇ પાંજરાપોળ સંસ્થાને મદદરૂપ બનવા સૌને અપીલ કરી હતી.

આ પ્રસંગે જ્ઞાતની ૧૦૦ વર્ષ પૂર્ણ કરેલ, તેમજ અનેક એવોર્ડ પ્રાપ્ત કરેલ. પેઢી કે.એન. અજાણી ફર્મના નલીનભાઇ કે. અજાણીનું સન્માનપત્ર અર્પણ કરી શ્રી કોઠારા જૈન મિત્ર મંડળ દ્વારા કોઠારા રત્ન એવોર્ડથી બહુમાન કરવામાં આવેલ.

શિક્ષણક્ષેત્રે અનેરી જ્યોત જલાવનાર સી.એ. ની પરિક્ષામાં ઓલ ઇન્ડીયા લેવલે ૪૫ મો ક્રમાંક મેળવનાર જ્ઞાતિનાં તેજસ્વી તારલા યુવાન મયંક રૂપેન ધુલ્લાનું વિશિષ્ટ બહુમાન કરી તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવેલ.

સમારોહ અતિથિ શ્રી તરૂણભાઇએ ૩૯ વર્ષથી કરવામાં આવતા આયોજનને બિરદાવી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. અતિથિ હીરાચંદભાઇ દંડે જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ અને અરિહંત બેંકની પ્રગતિની સમજ પૂરી પાડી હતી.

યુવા અગ્રણી મયંક રૂપેન ધુલ્લાએ જણાવ્યું હતું કે, આગળ આવી સમાજનાં વિદ્યાર્થીઓને મદદરૂપ બનીશ. વિદ્યાર્થીઓને શિક્ષણક્ષેત્રે આગળ આવવા સમજ આપી હતી.

મહિલા મંડળનો અહેવાલ અનીતાબેન ધરમશીંએ રજુ કર્યો હતો. કોઠારા મધ્યે પર્યુષણ મહાપર્વની ઉજવણીનો અહેવાલ દીનેશ અજાણીએ રજુ કરેલ. સમારંભ અધ્યક્ષ શ્રી પ્રવિણભાઇ શામજી ધરમશીંએ જણાવ્યું હતું કે, પ્રવૃત્તિ ટકાવી રાખવી અઘરૂં કાર્ય છે. આજે ૩૯ વર્ષથી થતું કાર્ય અનુમોદનીય છે.

બપોરે ગામનાં વાર્ષિક પરીક્ષામાં ઉતિર્ણ થયેલ. વિદ્યાર્થી ભાઇ-બહેનોને પ્રોત્સાહન આપવા શૈક્ષણિક સન્માન કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ દાતાશ્રીઓ દ્વારા કોઠારા પાંજરાપોળને રૂ ૫ લાખનું અનુદાન જાહેર કરાયું હતું. સુશીલાબેન ચંદુલાલે પોતાના વિચારો રજુ કર્યા હતા.

આ પ્રસંગે જનકભાઇ દંડ, પ્રબોધ મુનવર, રજનીકાન્ત ઠક્કર, પંકજભાઇ પલણ, વલ્લભદાસ ઠક્કર, સોમચંદ લોડાયા, મણીલાલ નાગડા, પ્રવિણ ટી. લોડાયા, મણીલાલ શાહ, વીરચંદ ધરમશીં, માણેકજીભાઇ ભાટે, હીરાચંદ મૈશેરી, કેતન લોડાયા તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંદેશા વાંચન અનીલ મોતાએ કરેલ.

કાર્યક્રમનું સંચાલન કલ્પનાબેન ધરમશીં અને પ્રીત ધરમશીંએ જયારે આભાર દર્શન ખીરણ લોડાયાએ કરેલ.વ્યવસ્થામાં રાયચંદ લોડાયા, લહેરચંદ લોડાયા, ઝવેરચંદ ધરમશીં, અનિલ મોતા, ચન્દ્રકાન્ત લોડાયા, ધીરજ દંડ, રતિલાલ નાગડા તથા સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો.