માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોરોના સંકટમાં ૧૫ બિનવારસ લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. બિનવારસ લાસો ઓળખવિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઈ સગું–સાવકું ન મળતા, પોલીસ રિપોર્ટ અને મૃત્યુ પ્રમાણપત્ર માનવજ્યોત સંસ્થા ભુજને આપવામાં આવતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રફીક બાવા, રસીક જોગી, વિક્રમ સથવારાએ શાસ્ત્રોક્તવિધિ સાથે તેઓની અંતિમક્રિયા કરી હતી.
માનવતાના આ કાર્યમાં રોટરી ફલેમિંગો ચેરીટેબલ સોસાયટી, ભુજ નગરપાલિકા સ્વર્ગ પ્રયાણધામગેસ આધારીત ખારી નદી સ્મશાન ગૃહે સહકાર આપ્યો હતો. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અત્યાર સુધીમાં પ૩૧ બિનવારસ લાસોની અંતિમક્રિયા કરવામાં આવી છે. દરેકનાં મૃત્યુનાં પ્રમાણપત્રો તથા પોલીસ રિપોર્ટ સાચવી રાખવામાં આવ્યા છે. અસ્થિઓ માટલામાં ભરી રાખવામાં આવે છે. દર વર્ષે શાસ્ત્રોક્ત વિધિ સાથે અસ્થિઓ ધ્રબુડી પાસે દરિયાકિનારે વિસર્જન કરવામાં આવે છે.