માનવથીત પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ મુલુન્ડની પ્રેરણાથી માનવજયોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ પાસે વડીલીનો વિસામો, નિલધામી, જેના મુખ્યપ્રવેસ હારનું ખાતમુહત કરાયું હતું
ઘરથી તડછોડાયેલા, એકલા, અટુલા, નિરાધાર વૃદ્ધોનું ‘વડીલોનો વિસામો,, આશ્રય સ્થાન બની રહેશે. માનસિક દિવ્યાંગોનાં શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની સફળતા બાદ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દુઃખી વૃદ્ધી માટે પણ સેવા કાર્ય કરાશે.
અમારી પાસે દર અઠવાડિયે એક એવું વૃદ્ધ કપલ આવે જે વૃદ્ધ વડીલોની આપવીતી સાંભળી એમનાં માટે પણ કાંઇક કરી છૂટવા સંસ્થા દ્વારા નક્કી કરાયું.
૭૦ની વય વટાવી ચૂકેલા કેટલાક વડીલો આશ્રય શોષે છે. કયાંક જિંદગીનાં છેલ્લા દિવસો સુખચેનથી શાંતિથી જીવી શકીએ. કયાંક આશરો મળી જાય તો એનાં મગજનાં ખોટા વિચારો દૂર થાય, ખોટું પગલું નભરે. આવા વડીલોને પુત્ર-વહુ કે પરિવાર સાથે સમાધાન કરાવી આપવામાં આવશે. સમાધાન નહી થાય ત્યાં સુધી વડીલોને આશ્રય આપવામાં આવશે. જરૂર પડશે ત્યાં સંસ્થા પોલીસ કે કાનૂની મદદ પણ વડીલોને ન્યાય અપાવવા લેશે. પરિવારજનો સાથેની મુશ્કેલીઓ ઝાડા દૂર કરવા સંસ્થા પૂરા પ્રયત્નો કરશે. વડીલોને અહીં સુખી કરવાની ભાવના છે. ટૂંક સમયમાં પાલારા-કચ્છની પાવન ભૂમિ ઉપર શ્રી રામેશ્વર મહાદેવજીની છત્રછાયામાં “વડીલોનો વિસામો,, નિર્માણ પામશે.
આશ્રમનાં મુખ્ય પ્રવેશ દ્વારનાં કાયમી દાતાશ્રીનો લાભ શ્રી એમ.એલ. ભક્તા હસ્તે આશિષભાઇ ભક્તા પરિવારે લીધેલ છે. પ્રારંભે વિશાળ હોલ, ભોજન ખંડ, લાયબ્રેરી, ગાર્ડન સાથે ૨૦રૂમો બનશે. વડીલોને દરેક સુવિધાઓ પૂરી પડાશે.ભૂમિદાતા તથા રૂમોનાં દાતા માટે દાતાશ્રીઓનો સંપર્ક કરવામાં આવશે.
મુખ્ય પ્રવેશ દ્વારનું ખાતમુર્હુત દાતાશ્રી પરિવાર તરફથી ડો. કિશોરભાઇ ગોસ્વામી તથા શ્રીમતિ મીતાબેન ગોસ્વામીનાં વરદ હસ્તે કરવામાં આવેલ. શાસ્ત્રોક્તવિધિનારાયણ સરોવરના શ્રી દિપક મારાજે કરાવી હતી. આ શુભ અવસરે કાર્યક્રમનું અતિથિવિશેષપદ શ્રી પી.સી.જાડેજા, મોહબતસિંહ સોઢા, હરીશભાઈ પટેલ, ચંદ્રશેખરસિંહ જાડેજા, વસંતભાઈ અજાણી, જગદીશભાઇ ભાનુશાલી, માવજીભાઇ આહિરે શોભાવ્યું હતું, દાતાશ્રી પરિવારની અંતરની ભાવનાઓને બિરદાવી તેઓશ્રીને સન્માનિત કરવામાં આવેલ.
પી.સી. જાડેજાએ માનવજ્યોત સંસ્થા ભુજની દરેક પ્રવૃત્તિઓની સરાહનાકરી આ મહાન કાર્યને સર્વશ્રેષ્ઠ કાર્ય ગણાવ્યું હતું. માનકુવાનાં મોબતિસંહ સોઢાએ માનવસેવા-જીવદયા-પર્યાવરણ પ્રવૃત્તિઓ સાથે માનસિક દિવ્યાંગો અને હવે વૃદ્ધ વડીલોને સાચવવાનાં કાર્યની પ્રશંસા કરી હતી.
વસંતભાઇ અજાણીએ પાલારા વિસ્તારમાં માનવજ્યોત દ્વારા થઈ રહેલા કાર્યને અદ્ભૂત કાર્ય ગણાવી દરેક કાર્યમાં પોતાનાં સાથ-સહકારની ખાત્રી આપી હતી. દાતા પરિવારનાં મીતાબેન ગોસ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, સંસ્થાની ખૂટતી કડીઓ પૂરી કરવામાં આવશે. સંસ્થાનું કાર્ય આખા કચ્છમાં આગળ ધપી રહ્યું છે. માનવસેવા-જીવદયા ક્ષેત્રે સંસ્થાની કામગીરી શ્રેષ્ઠ છે.
પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી સંસ્થાની ટીમની કામગીરી બિરદાવી દાતાશ્રીઓનો આભાર માન્યો હતો. ગોવિંદભાઇ પાટીદાર, પ્રતાપભાઇ રૂપારેલ, હિરાચંદ છેડા, મહેન્દ્ર લોડાયા, જાદવજીભાઇ ભુડીયા તેમજ જયાબેન મુનવર, માલાબેન તેપી, સરલાબેન ગોસ્વામી, અનીતાબેનઠાકુર, મીનાબેન ભદ્રા પોતાના મહિલા મંડળો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભારદર્શન શંભુભાઇ જોષીએ કરેલા વ્યવસ્થામાં પૃથ્વીરાજસિંહ જાડેજા, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, આનંદ રાયસોની, દિપેશ શાહ, રફીક બાવા, મુરજીભાઇ ઠક્કર, સહદેવસિંહ જાડેજા, ભવાનભાઈ ઠક્કર, નિતીનભાઇ ઠક્કર, ભુપેન્દ્રભાઈ બાબરીયા, પ્રવિણ ભદ્રા, કનૈયાલાલ અબોટી, રીતુબેન વર્મા, પ્રતાપ ઠક્કર, પંકજ કુરૂવા,દિલીપ લોડાયા, જયેશ લાલન, વાલજી કોલીએ સહકાર આપ્યો હતો.