આસો સુદ આઠમ નવરાત્રિ નિમિત્તે ભુજ અને ભુજ વિસ્તારનાં અનેક મંદિરોમાં ધાર્મિક-કાર્યક્રમો બાદ મહાપ્રસાદ યોજાયો હતો. માનવજ્યોત સંસ્થા ભુજને વધી પડેલો મહાપ્રસાદ લઇ જવા ૨૩ મંદિરો-સમાજવાડીઓમાંથી ફોન આવ્યા હતા. સંસ્થાએ વધી પડેલો પ્રસાદ એકઠો કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડતા ૩ હજાર જેટલા ગરીબોએ પણ માતાજીનો મહાપ્રસાદ લીધો હતો અને ખુશી અનુભવી હતી.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રાજુ જાગી, રસીક જાગી, હિતેશ ગોસ્વામી, ચમનલાલ જીવાણી તથા કાર્યકરોએ સંભાળી હતી.