વિધવા મહિલાઓને સિલાઇ મશીન અર્પણ કરી પગભર કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી અમૃતબેન ગોવિંદભાઇ રામજી ભુડિયા નારાણપર વાલાનાં સહયોગથી ૩ વિધવા મહિલાઓ તથા એક છુટાછેડા લીધેલ મહિલાને પગભર થઇ પોતાનું ગુજરાન ચલાવવાનાં ઉદ્‌ેશ સાથે સિવણ મશીન અર્પણ કરવાનો કાર્યક્રમ દાતાશ્રી ગોવિંદભાઇ તથા અમૃતબેનની ઉપÂસ્થતિમાં યોજાયો હતો.

પ્રારંભે સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવરે પ્રસંગ પરિચય આપ્યો હતો. સુરેશભાઇ માહેશ્વરીએ સ્વાગત કર્યું હતું. સંસ્થા વતી દાતા પરિવારનું સન્માન કરવામાં આવેલ. પૃથ્વીરાજસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટીએ પ્રાસંગિક ઉદ્‌બોધન કરેલ. ચારે મહિલાઓને સિવણ મશીન અર્પણ થતાં તેઓએ ખુશી વ્યક્ત કરી હતી. માનવજ્યોત સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૩૦૭ વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરાયા છે.

કાર્યક્રમનું સંચાલન શંભુભાઇ જાષીએ. જયારે આભાર દર્શન રફીક બાવાએ કરેલ. વ્યવસ્થામાં દીપેશ શાહ, આનંદ રાયસોની, ચમનલાલ જીવાણી, પ્રતાપ ઠક્કરે સહયોગ આપ્યો હતો.