આઠ દિવ્યાંગોની દિવાળી સુધરી… માર્ગો ઉપર હરતા ફરતા કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા પાંચ દાતાશ્રીઓનાં સહયોગથી આઠ દિવ્યાંગોને દિપાવલી પર્વ પૂર્વે ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર હરતા-ફરતા કરાયા હતા. 

પ્રારંભે સંસ્થાનાં મંત્રી શ્રી સુરેશભાઈ માહેશ્વરીએ મહેમાનોને મીઠડો આવકાર આપ્યો હતો. પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ પરિચય આપ્યો હતો. આ પ્રસંગે દાતાશ્રીઓનું સંસ્થા દ્વારા બહુમાન કરવામાં આવેલ. 

રમેશભાઈ માહેશ્વરી, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, પ્રવિણ ભદ્રા, ભુપેન્દ્ર બાબરીયા, મુરજીભાઈ ઠક્કર, કનૈયાલા અબોટીની ઉપસ્થિતિમાં આઠ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાઈ હતી. દિવ્યાંગોએ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી. 

દાતા શ્રી સ્વ. મહેતા મોહનલાલ ભગવાનજી પરિવાર વર્ધમાનનગર-કચ્છ હસ્તે રમાબેન શિરિષ મહેતા વર્ધમાનનગર-કચ્છ દ્વારા ૩, રશ્મીબેન અનીલભાઈ મહેતા વર્ધમાનનગર દ્વારા-૧, હરસુખભાઈ ગોવિંદજી ઠક્કર દર્શન એજીનીયરીંગ ભુજ દ્વારા-૨, સ્વ.રામબાઈ વેલજી હાલાઈ, સ્વ.વાલબાઈ દેવજી પિંડોરીયા હસ્તે વિશ્રામભાઈ વેલજી હાલાઈ માધાપર દ્વારા-૨ એમ મળી સંસ્થાને ૮ ટ્રાયસિકલો માટે નુદાન મળેલ. 

કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રબોધ મુનવરે આભાર વિધિ શંભુભાઈ જોષીએ કરેલ. વ્યવસ્થામાં આનંદ રાયસોની, રફીક બાવા, દિપેશ શાહ, ઈરફાન લાખાએ સહકાર આપ્યો હતો.