માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા એક જરૂરતમંદ દિવ્યાંગને ટ્રાયસિકલ અર્પણ કરી માર્ગ ઉપર ફરતા કરાયા હતા. સંસ્થા દ્વારા અત્યાર સુધી ૪૫૩ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાયા છે.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર,આનંદ રાયસોની,દિપેશ ભાટિયા,પ્રતાપ ઠક્કર,પરેશ ગોસ્વામી,હિતેશ ગોસ્વામી,કિશોરસિંહ વી.જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.ટ્રાયસિકલ મળતા દિવ્યાંગે ખુશી વ્યક્ત કરી હતી.