દિપાવલી પર્વે ગરીબોનાં ઝુંપડે ઝુંપડે મીઠાઇ પેકેટોનું વિતરણ કરાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે ભુજ અને ભુજ વિસ્તારમાં ભૂંગા અને ઝુંપડાઓમાં રહેતા ગરીબ અને શ્રમજીવી ૫૦૦ પરિવારોને અડધો-અડધો કિલ્લો મીઠાઇનાં પેકેટો વિતરણ કરાયા હતા.

ગરીબ અને શ્રમજીવીકો પણ દિપાવલી પર્વની ઉજવણી માણી શકે અને એ પરિવારોનાં નાના ભૂલકાઓ પણ મીઠાઇનો સ્વાદ માણી શકે તેવા ઉદેશ સાથે શહેરની ચારે બાજુ ઝુંપડે ઝુંપડે મીઠાઇ પેકેટો વિતરણની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. જેથી આવા પરિવારોએ પણ ખુશી મનાવી હતી.

જુદા- જુદા વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, અરવિંદભાઇ ઠક્કર, પ્રવિણ ભદ્રા, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, દિપેશ શાહ, રફીક બાવા, મુળજીભાઇ ઠક્કર, નિરવ મોતા, સલીમ લોટા, ઇરફાન લાખાએ સંભાળી હતી.