હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ ખાવડાથી પોતાનાં વતન તરફ જઇ રહેલા 200 જેટલા મજુરો ભુજ આવી ને રખડી પડ્યા હતા. અમુક પાસે પૈસા નહોતા. તો ભુજ આવ્યા પછી લારી,ગલ્લા, દુકાનો, રેસ્ટોરેન્ટ બંધ હોતા આ મજુર વર્ગ અને તેમનાં પરિવાર તથા નાના બાળકો રખડી રઝળી પડ્યા હતા. રેલ્વે સ્ટેશન અંદર-બહાર કોઇ વસ્તુ મળે તેમ નહોઇ રીક્ષાચાલકો અખતર સમા તથા કાસમ મેમણે ભુજની માનવજ્યોત સંસ્થાને જાણ કરતાં સંસ્થાના પ્રબોધ મુનવર, રફીક બાવા, રાજેશ જોગી રેલ્વે સ્ટેશન બહાર 200 મજુરોને અલ્પાહાર કરાવતા મજુર પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી. ભુજ રેલ્વે સ્ટેશનેથી તેઓ ટ્રેન મારફતે પોતાનાં વતન ભણી રવાનાં થયા હતા.