જયુબીલી ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલા ખાવડા સ્વીટસ દૂધ- માવાની ૬૦ કિલો તથા જૂની ભીડ બજાર ચોક પાસે આવેલ આશાપુરા સ્વીટ-નમકીનનાં ભરતભાઇ ઠક્કરે પણ ૫૦ કિલો મીઠાઇ માનવજ્યોતને આપતાં સંસ્થાએ ગરીબોનાં ઝુંપડે જઇ આ મીઠાઇનું વિતરણ કર્યું હતું. જરૂરતમંદ લોકો આ મીઠાઇથી બપોરનું ભોજન જમ્યા હતા. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, ગુલાબ મોતા, રફીક બાવા, રાજુ જાગી, ઇરફાન લાખાએ સંભાળી હતી. મીઠાઇ એકઠી કરવાનાં કાર્ય માટે જીતેન્દ્રભાઇ ધારશીં તથા ભરતભાઇ સંઘવીએ સહકાર આપ્યો હતો.
કોઇપણ વસ્તુ બગડે એ પહેલાં માનવજ્યોત કાર્યાલય ભુજ મો. ૯૯૨૫૧૬૯૮૭૬ અથવા ફોન : ૨૨૪૦૦૦ ને જાણ કરવામાં આવશે તો મિષ્ટાન-ફરસાણ-અનાજ આપના ત્યાંથી લઇ જવામાં આવશે.