માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ વિસ્તારમાં ભૂંગા-ઝુંપડામાં રહેતા અને જેના ઘરમાં ફ્રિઝ કે વોટર કુલર નથી તેવા પરિવારોને ઠંડા પાણી માટે માટીનાં માટલા વિતરણ કરાયા હતા. ભુજ શહેરનાં ભીડગેટ વિસ્તારેથી માટલા વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો હતો. કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં ગરીબ પરિવારોને પણ પીવા ઠંડુ પાણી મળે તેવા હેતુ સાથે એક દાતાશ્રીનાં સહયોગથી ભુજ વિસ્તારનાં 1૦૦ પરિવારોને હાથો હાથ નળ સાથેનાં માટલા વિતરણ કરાયા હતા.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહ, નિતિનભાઈ ઠક્કર, મનસુખભાઇ નાગડા, રફીક બાવા, પ્રતાપ ઠક્કરે સંભાળી હતી.