માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ભુજ અને ભુજ વિસ્તારમાં જરૂરતમંદ ૯૩૪ પરિવારોને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવેલ. જુદા-જુદા વિસ્તારોમાં જરૂરતમંદ લોકોનાં ઘર સુધી પહોંચી જઈ હાથો-હાથ કપડા અપાયા હતા. પરિવારની દરેક વ્યક્તિઓનાં માપનાં કપડા આપવામાં આવતાં ગરીબ પરિવારોએ ખુબ જ ખુશી વ્યક્ત કરી હતી.
ભુજ અને ભુજ વિસ્તારમાંથી લોકો પુષ્કળ પ્રમાણમાં કપડા માનવજ્યોત સંસ્થા સુધી પહોંચાડે છે. સંસ્થા ગરીબોને આ કપડા પહોંચતા કરે છે.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રાજુ જોગી, અનીતાબેન ઠાકુર, આરતી જોષી, ઇન્દુબેન ઠક્કર, હફીઝાબેન સમા, ઇરફાન લાખા, રસીક જોગી, નરેશ તાજપરિયા, હિતેશ ગોસ્વામી, વેસુભા સોઢાએ સંભાળી હતી.