ચેન્જમેકર ઓફ ઇન્ડીયા એવોર્ડ અર્પણ કરાયો

ગ્રીનપ્રેન્યોર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવરને “ચેન્જરમેકર ઓફ ઇન્ડીયાએવોર્ડ,, અર્પણ કરાયો હતો. અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન હોલ મધ્યે યોજાયેલા એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રબોધ મુનવરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ લઇ રાજ્ય કક્ષાનાં સહકાર અને મીઠા ઉદ્યોગ વિભાગનાં મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માનાં વરદ્ હસ્તે શ્રેષ્ઠ કામગીરી માટે આ એવોર્ડ અર્પણ કરાયો હતો.

આ પ્રસંગે વ્યાપાર જગતનાં શ્રી પ્રવિણભાઇ પરમાર, ડો. ક્રિષ્નાં આર્ય, કચ્છના પબીબેન રબારી, હુન્નર શાળાનાં મહાવીર આચાર્ય સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.