Category Archives: સમાચાર / ઘટનાઓ

શ્રી ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા મકરસક્રાંતિ પર્વેવસ્ત્રો તથા અન્ય વસ્તુઓ માનવજ્યોતને અર્પણ કરાઇ

શ્રી ભુજ લોહાણા મહાજન સંચાલિત શ્રી ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને મકરસક્રાંતિ પર્વ નિમિત્તે જરૂરતમંદ લોકો તથા માનસિક દિવ્યાંગો માટે વસ્ત્રો તથા અન્ય વસ્તુઓ અર્પણ કરાઇ હતી. મહિલા મંડળનાં બધાજ બહેનોએ વસ્ત્રો તથા અન્ય વસ્તુઓ એકઠી કરી હતી. શ્રી લોહાણા મહિલા આશ્રમના બહેનો દ્વારા પણ માનવજ્યોતને વસ્ત્રો અર્પણ […]

ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ કેપીટલ દ્વારામાનવજ્યોત સંસ્થાને 20 ખુરશીઓ અર્પણ કરાઇ

ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ કેપીટલ દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાને “વડીલોનો વિસામો,, સેવાશ્રમ માટે વીશ ખુરશી અર્પણ કરાઇ હતી. ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ કેપીટલનાં ડીસ્ટ્રીકટ ચેરમેન બિંદુબેન ગુપ્તા, ડીસ્ટ્રીકટ સેક્રેટરી રચનાબેન શાહ, કલબ પ્રેસીડેન્ટ ડીમ્પલબેન દોશી, કલબ સેક્રેટરી ડીમ્પલબેન છાયા, ચાર્ટર પ્રેસીડેન્ટ રૂપલબેન રેલોન, સેક્રેટરી નેહાબેન ઠક્કર, ખજાનચી અરૂણાબેન રાઠોડ, આઇ.એસ.ઓ. વિમલાબેન મહેશ્ર્વરી, કલબ મેમ્બર પ્રિયાબેન […]

ઉત્તરપ્રદેશનો ગુમ મુસ્લિમ યુવાન 3 વર્ષ પછી ઘરે પહોંચ્યો

ઉત્તરપ્રદેશનાં મુરાદાબાદ વિસ્તારનાં બીલારી ગામનો યુવાન મોહમદ નજિમ ઉ.વ. 31 ગુમ થતં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. કયાં પણ એનાં ખબર નમળતાં પરિવારજનોએ નિરાશા અનુભવી ચિંતા સેવી હતી. 3 વર્ષ પછી આખરે તે રખડતો-ભટકતો રેલ્વે માર્ગે ભુજ પહોંચી ભુજથી પગે ચાલીને જતો રસ્તામાં કોડાયપુલ- બિદડા વચ્ચેથી નાના ભાડીયાનાં સામાજિક કાર્યકર દેવાંગભાઇ ગઢવી તથા ત્રગડીનાં […]

૪૭૫ વિદ્યાર્થીઓએ માનવજ્યોત સંસ્થા ભુજમાં સામાજિક કાર્યકરની ટ્રેનીંગ મેળવી

ગુજરાતની વિવિધ વિદ્યાપીઠો, યુનિવર્સીટીઓ, શાળા, કોલેજોનાં તેમજ ભુજની કોલેજોના વિદ્યાર્થી ભાઈ-બહેનો સામાજિક કાર્યકરની ટ્રેનીંગ માનવજ્યોત સંસ્થા ભુજમાં રહીને મેળવે છે. તેઓને ૩૦ થી ૪૫ દિવસની ટ્રેનીંગ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાતનાં ૪૭૫ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ માનવજ્યોત અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રહી વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાઈ સામાજિક કાર્યકર તરીકેનો અનુભવ અને ટ્રેનીંગ […]

6 દિવ્યાંગ ભાઇ-બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા 6 દિવ્યાંગ ભાઇ-બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાતાં દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 530 દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાઈ છે. સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર વર્ધમાનનગર-કચ્છ હસ્તે રમાબેન શીરીષ મહેતા-અમેરીકા દ્વારા-ત્રણ, સ્વ. અનીલભાઇ એમ. મહેતા હસ્તે રશ્મીબેન અનીલભાઇ મહેતા-વર્ધમાનનગર-કચ્છ દ્વારા ત્રણ […]

જીલ્લા પંચાયત અધ્યક્ષશ્રીએ માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવી

કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજાએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ, સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓને બિરદાવી હતી. માનસિક દિવ્યાંગોએ દેશભક્તિનાં ગીતો રજુ કર્યા હતા. ઘર-પરિવારથી અને ગામ-શહેર- રાજ્યથી વિખુટા પડી ગયેલા માનસિક દિવ્યાંગ-ભાઇ-બહેનોનું પરિવાર સાથે કરાવાતું મિલન પ્રશંસનીય છે. આ પ્રવૃત્તિ અને સંસ્થાનું સેવાકીય કાર્ય સરાહનીય […]

ઝારખંડનાં પિતા-પુત્ર અને પતિ-પત્નિનું ૧૨ વર્ષે થયું મિલન ઝારખંડના સાંસદ પરિવારની મદદે આવ્યા

ઝારખંડ રાજ્યનાં રાઠી જીલ્લા, સીલી તાલુકાનાં બારાચાંગડુ ગામો યુવાન કૃષ્ણ લોહરા ઉ.વ. ૪૮ ગુમ થતાં પરિવારજનોએ સતત ચિંતા સેવી તેની શોધખોળ છ વર્ષ સુધી ચાલુ રાખી હતી. પુત્રનાં લગ્ન થવાના હતા. પણ પિતા ગુમ થતાં પુત્રનાં લગ્ન રદ થયા હતા. બાદમાં ગામ અને સમાજવાસીઓનાં માર્ગદર્શનથી તેને મૃત ઘોષિત કરી તેની શાસ્ત્રોક્ત વિધિ સાથે સારામણુંપૂરું કરી […]

રખડતા-ભટકતા માનસિક દિવ્યાંગો કચ્છ પહોંચે ત્યારે આ તેમનું છેલ્લું સ્ટેશન

દેશભરમાંથી કચ્છ સુધી પહોંચતા માનસિક દિવ્યાંગો પોતાનું ઘર સુધી પહોંચી રહ્યા છે. માનવજ્યોત સંસ્થા ભુજની સક્રિયતાના કારણે દેશભરમાંથી રખડી-ભટકી ભુજ સુધી પહોંચતા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા તેમનાં ઘર સુધી પહોંચાડે છે. વર્ષોથી રખડી-ભટકી રહેલા માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો જયારે ભુજ આવી પહોંચે ત્યારે આ તેનું છેલ્લું સ્ટેશન બની રહે છે. માનવજ્યોત સંસ્થા તેમનું ઘર-પરિવાર શોધી આપી […]

દિલ્હીનો ગુમ યુવાન 6 વર્ષ પછી મળી આવ્યો૮૫ વર્ષીય પિતાએ ભુજ આવી પુત્રનો કબ્જો લીધો

દિલ્હી (ઇસ્ટ) નો યુવાન દિપકકુમાર પ્રેમદાસ ઉ.વ. 30 છવર્ષ પહેલા દિલ્હીથી ગુમ થયેલ. પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. તે જુદા-જુદા રાજ્યોમાં સતત રખડતો-ભટકતો રહ્યો હતો. આખરે તે રખડતો-ભટકતો બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સમાજ સેવાશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકો અશોકભાઇ જૈન તથા ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ તેની ખૂબ જ સારી સેવા કરી. માનવજ્યોતનાં સામાજિક […]

શ્રી કચ્છી લાલ રામેશ્વર અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત અને શ્રી રામરોટી કેન્દ્ર-ભુજને અન્નદાન અર્પણ કરાયું

શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રમ અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે, એકલા-અટુલા- નિરાધાર વૃદ્ધ વડીલોની ટીફીન સેવા માટે, બાળશ્રમયોગીઓ તથા રંક બાળકોનાં ભોજન માટે તથા ભૂખ્યાને ભોજન આપવા માટે દોઢલાખ રૂપિયાનું અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વર્ષોથી […]