માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી ઇશ્ર્વરલાલભાઇ મગનલાલ ઠક્કર પરિવાર દ્વારા બળબળતા તાપ અને સખત ગરમી વચ્ચે 100 શ્રમજીવીકોને નવા બુટ-ચંપલ પગરખા વિતરણ કરવામાં આવતાં શ્રમજીવીકોએ ખુશી વ્યક્ત કરી હતી. જુદા-જુદા વિસ્તારોમાં જરુરતમંદ બાળકોને પગરખા પહેરાવાયા હતા. વિતરણ વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, રાજેશ જોગી, સલીમ લોટા, વિક્રમ રાઠીએ સહકાર આપ્યો હતો.
Category Archives: પ્રવૃત્તિઓ
ગુમ લોકોનાં ઘર-પરિવાર શોધવામાં માનવજ્યોત સંસ્થા ભુજને સફળતા મળી છે. કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા 2100 માનસિક દિવ્યાંગો પોતાના ઘર-પરિવાર સુધી પહોંચ્યા છે. દરેક રાજ્યની અને સમગ્ર કચ્છની પોલીસ માનવતાનાં આ સેવાકાર્યમાં મદદરુપ બની છે. ટ્રેન કે અન્ય વાહનો મારફતે અને પગે ચાલીને કચ્છ પહોંચેલા અને કચ્છનાં ગામડાઓમાંથી મળેલા રખડતા-ભટકતા માનસિક દિવ્યાંગો […]
ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ ગરીબોનાં ઝુંપડે પહોંચે છે. માનવજ્યોત ના આ સેવા કાર્યથી ગરીબોનાં પેટનો ખાડો પૂરાય છે. અને અન્નનો બગાડ અટક્યો છે. ગરીબોનાં જઠારાગ્નિ ઠર્યા છે. ભોજન સમારંભોની વધી પડેલી રસોઇમાંથી વર્ષે અઢી લાખ લોકો ભરપેટ જમી જાય છે. હાલમાં લગ્નોની સિઝન પુરબહાર ખીલી છે. ભુજ અને ભુજ વિસ્તારમાં ભોજન સમારંભોની વધી પડેલી […]
પિંગલેશ્ર્વર પૂનમ ગ્રુપ, દેવલીલા ચેરીટેબલ ટ્રસ્ટ, ક્રીશીવ ફાઉન્ડેશન અને પ્રેરણા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોની વચ્ચે સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંડળોના બહેનોએ ભજન,કિર્તનની રમઝટ જમાવી હતી. તેમજ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને સ્વહસ્તે અલ્પાહાર કરાવ્યો હતો. અને રાસ, ગરબા રમ્યા હતા. દેવલીયા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી સ્વ. […]
ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દાતાશ્રી ઇશ્ર્વરલાલભાઇ મગનલાલ ઠક્કર મનીષ ટી કંપની ભુજ પરિવારનાં સહયોગથી ૧૨ વિધવા મહિલાઓને સિવણ મશીનો અર્પણ કરાતાં વિધવા મહિલાઓએ અનેરી ખુશી વ્યક્ત કરી હતી. અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ ૬૩૦ વિધવા મહિલાઓને સિલાઇ મશીનો અર્પણ કરી પગભર કરવાનાં પ્રયત્નો કર્યા છે. દાતાશ્રીની અંતરની ભાવનાઓને બિરદાવી દાતા પરિવારશ્રીનો આભાર માનવામાં આવેલ. સુરેશભાઇ માહેશ્ર્વરી […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ વિસ્તારમાં ભૂંગા-ઝુંપડામાં રહેતા અને જેના ઘરમાં ફ્રિઝ કે વોટર કુલર નથી તેવા પરિવારોને ઠંડા પાણી માટેના માટીનાં માટલા વિતરણ કરાયા હતા. ભુજ શહેરનાં ભીડગેટ વિસ્તારેથી માટલા વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો હતો. કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં ગરીબ પરિવારોને પણ ઠંડુ પાણી પીવા મળે તેવા હેતુ […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા 7 દિવ્યાંગ ભાઇ-બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાતાં દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 514 દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાઈ છે. સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર વર્ધમાનનગર-કચ્છ હસ્તે રમાબેન શીરીષ મહેતા-અમેરીકા દ્વારા-ત્રણ, વેલબાઇ ધનજીભાઇ કરશન વરસાણી-નારાણપર દ્વારા ત્રણ તથા એક સદગૃહસ્થ દ્વારા- […]
ભુજ તાલુકાના કેરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વર્ષો સુધી ડ્રેસર તરીકે સેવા આપી નિવૃત્ત થયેલા હરભમજી ખુમાનસંગજી જાડેજાનું અવસાન થતાં ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા તેઓની સેવાઓને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. તેઓશ્રી માનવજ્યોતનાં સહદેવસિંહ જાડેજાના પિતાશ્રી હતા. સંસ્થાના પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, ગોવિંદભાઇ પાટીદાર, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, શંભુભાઇ જોષી, રફીક બાવા, નિતિન […]
હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ ખાવડાથી પોતાનાં વતન તરફ જઇ રહેલા 200 જેટલા મજુરો ભુજ આવી ને રખડી પડ્યા હતા. અમુક પાસે પૈસા નહોતા. તો ભુજ આવ્યા પછી લારી,ગલ્લા, દુકાનો, રેસ્ટોરેન્ટ બંધ હોતા આ મજુર વર્ગ અને તેમનાં પરિવાર તથા નાના બાળકો રખડી રઝળી પડ્યા હતા. રેલ્વે સ્ટેશન અંદર-બહાર કોઇ વસ્તુ મળે તેમ નહોઇ રીક્ષાચાલકો […]
પશ્ર્ચિમ બંગાળનાં કાયથા જીલ્લાનો યુવાન મેંનુર ઇસ્માઇલ શેખ ઉ.વ. 37 ગુમ થતાં પરિવારજનો એ તેની સતત શોધ ચલાવી હતી. પરિવારજનો ચિંતાતુર બની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. આખરે તે 11 વર્ષ બાદ સૂરતનાં આશિર્વાદ માનવમંદિર માનવસેવા ચેરી. ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો. ત્યાનાં સંચાલક શ્રી જયરામભાઇ ભગત અને સેવાભાવીઓએ તેની ખૂબ જ સારી સરભરા સાથે સેવાઓ […]