માનવજ્યોત સંસ્થા દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ તથા કોટી વૃક્ષ અભિયાન-બિદડા દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. હિતેન ધોળકિયા સ્કુલથી માધાપર પોલીસ સ્ટેશન માર્ગે ૩૦૦ વૃક્ષો વાવી વૃક્ષોને રક્ષાબાંધી વધુને વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. સંસ્થાનાં પ્રબોધ મુનવર, શંભુભાઈ જોષી, આનંદ રાયસોની તથા સર્વે કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાઇ લોકોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા જણાવ્યું હતું. હાલે વરસાદની મોસમહોઈ વૃક્ષો વાવવા માટેનો અનુકુળ સમયછે. અગાઉ સંસ્થા દ્વારા વર્ધમાનનગર નજીક ૧૦૦વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ. જે પૈકી ૮૦વૃક્ષો ૧૦ફુટનાં થઈ ચૂકયા છે. પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો આ વૃક્ષો ઉપરથી ફુલો વણી ભગવાન શ્રી મહાદેવજીનાં ચરણોમાં ધરે છે. આમઆ માર્ગની શોભા પણ વધી છે. રક્ષાબંધન દિવસે વધુ ૩૦૦ છોડ વાવી સંસ્થાએ રક્ષાબંધન દિવસની અનોખી ઉજવણી કરી હતી. વ્યવસ્થામાં સલીમલોટા,વિક્રમરાઠી, રસીકજોગીએ સહકાર આપ્યો હતો.