માનવજ્યોત ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી રામબાઇ રામજીભાઇ કેરાઇ નારાણપર, તથા ભારતીબેન પ્રતિતકુમાર ગાંધીધામ, ડો. ઉર્વશી, પ્રિયવદાબેન, દેવકુંવરબેન મેઘજી વેલજી ધરમશીંના સહયોગથી ભુજનાં જુદા-જુદા વિસ્તારોમાં ભૂંગા અને ઝુંપડાઓમાં રહેતા જરૂરતમંદ લોકોને હાથો હાથ ગરમ ધાબડા તથા ગોદડા જુદા જુદા વિસ્તારમાં વિતરણ કરી ઠંડી સામે રક્ષણ અપાયું હતું.
દાતાશ્રીઓનાં સાથ અને સહકારથી સંસ્થા દ્વારા ગરમ ધાબડા વિતરણ કરવામાં આવ્યા હતા. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, દિપેશ શાહ, આનંદ રાયસોની, દિપેશ ભાટિયા, પ્રતાપ ઠક્કર, રફીક બાવા તથા કાર્યકરોએ સંભાળી હતી. અનેક લોકોને ઠંડી સામે રક્ષણ અપાયું હતું.