ભુજનાં ધીરેનભાઇ લક્ષ્મીકાંત શાહે (શાહ ટાયર્સ) પોતાનાં જન્મદિવસની અનોખી ઉજવણી કરી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું.
જન્મદિન દિવસે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા કચ્છનાં માનસિક દિવ્યાંગોને તથા ભુજ શહેરનાં ૧૦૦ વૃદ્ધ વડીલોને ઘેર બેઠાં ટીફીન દ્વારા મિષ્ટાન સાથેનું ભોજન જમાડી જન્મદિવસ ઉજવ્યો હતો. વર્તમાનકાળમાં ચાલી રહેલા કોરોના વાયરસમાં ખોટા ખર્ચાથી બચી જરૂરતમંદ લોકો સુધી પહોંચી વળવાનાં કાર્યને મહાન કાર્યગણી લોકોને નવી દિશા નવો માર્ગચિંધ્યો હતો. જેની લોકોએ પ્રશંસા કરી હતી.
લીનાબેન નરેશ સતરા, રાજુલ ગીરીશભાઈ છેડા, તરંગ વિશાલ લાલકા, કેનવી શૈલેષ શાહે પણ જન્મદિને માનસિક દિવ્યાંગોને ભોજન કરાવીપોતાનાં જન્મદિનને સાર્થક બનાવ્યો હતો.