જન્મદિને અને પુણ્યતિથિએભૂખ્યાજય નીલ ભટ્ટે પોતાનો જન્મદિવસ, કોરોના મહામારી સંકટમાં ભુજ વિસ્તારમાં જરૂરતમંદ ૧૦૦ ભૂખ્યા લોકોને ભોજન કરાવીને મનાવ્યો હતો. તૈયાર રસોઇ બનાવી માનવજ્યોતને આપતાં ભૂખ્યા સુધી ભોજન પહોંચ્યું હતું.
હબાયનાં નંદકિશોરભાઇએ પોતાનાં પિતાશ્રી સ્વ. માવજી રાણા કેરાસિયાની પુણ્યતિથિ નિમિત્તે કોરોના મહામારી સંકટમાં ભુજ વિસ્તારમાં જરૂરતમંદ ૧૦૦ ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું હતું. તૈયાર રસોઇ બનાવી માનવજ્યોતને આપતાં ભૂખ્યા સુધી ભોજન પહોંચ્યું હતું.
આમ ગરીબોનો જઠરાગ્ન ઠર્યો હતો. ભોજન વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ તથા રફીક બાવા, દિપેશ ભાટિયાએ સંભાળી હતી.ને ભોજન કરાવાયું