મધ્યપ્રદેશનાં વિદિશા જીલ્લાનાં કાશીરામ ખેડા ગામની મહિલા ઉ.વ. ૪૦૭ વર્ષ પહેલાં ગુમ થઇ હતી. તે જુદા-જુદા રાજ્યોમાં સતત રખડતી-ભટકતી રહી હતી. ત્યાર બાદ તે અચાનક કચ્છનાં માનકુવા ગામેથી મળી આવી હતી.
તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી માનસિક આરોગ્યની હોસ્પીટલ
ભુજનાં મનોચિકિત્સક ડૉકટરથી પાસેથી સારવાર કરાવતાં તે સ્વસ્થ બની હતી.
આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરી તેનાં પરિવારજનોને શોધી કાઢ્યા હતા. સમાચાર મળતાં જ તેના બંને ભાઇ જીતેન્દ્ર અને સીતારામ તેને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા. તેઓનાં જણાવ્યા મુજબ બેન મનીબાઇને ૩ દીકરી અને બે દીકારા છે. પતિએ મૂકી દેતાં તેનાં બાળકો મામાનાં ઘરે મોટા થઇ રહ્યા છે. જે પૈકી ૧ દીકરીનાં લગ્ન પણ થઇ ગયા છે. બાળકો માતા ઘરે આવશે તેવી રાહ જોઇ બેઠા છે. છ-છ વર્ષથી મામા બાળકોની સારસંભાળ રાખે છે. આખરે છ વર્ષ પછી ભાઇઓ સાથે બહેનનું મિલન થતાં ભાવિક દ્રશ્યો સર્જાયા હતા. સૌની આંખો અશ્રુભીની બની હતી.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રફીક બાવા, દિપેશ રા, જયેશ લોડાયા, રાજુ જોગી, ઇરફાન લાખા સહયોગી બન્યા હતા.